સંચાલન - નંદન શાસ્ત્રી
મિત્રો, ગુજરાતની આન , બાન અને શાન વધારવામાં ગુજરાતના પુરાતત્ત્વએ, ઇતિહાસે તથા કલાકારીગરીના લબ્ધપ્રતિષ્ઠિત કલાકારોએ અમૂલ્ય ફાળો આપ્યો છે. આજની ક્વિઝ વિશિષ્ટ સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીના સંદર્ભમાં મેં યોજી છે -
૧) આ મ્યઝિયમની સ્થાપના કરવાનું શ્રેય કયા રાજવીને જાય છે અને અનુક્રમે કયા વર્ષે મુખ્ય સંગ્રહાલયનું મકાન અને ત્યારબાદ કલાવિથિકા જાહેર જાણતા માટે ખુલી મુકાઈ હતી ?
૨) આ સંગ્રહાલયમાં કયા ૬ વિભાગો છે?
૩) આ મ્યુઝિયમનું સંચાલન ગુજરાત રાજ્યની કઈ મિનિસ્ટ્રી કરે છે ?
૪) ગુજરાત રાજ્યના આ સૌથી મોટા સંગ્રહાલયમાં, ૯૧ ફુટ લાંબી બ્લ્યુ વ્હેલનું હાડપીંજર પ્રદર્શિત છે અને યુરોપિયન તૈલચિત્રોનો એશિયાનો સૌથી મોટો સંગ્રહ અહીં પ્રદર્શિત છે. તદુંપરાંત,ઈજિપ્તની કઈ બેનમૂન વસ્તુ પ્રદર્શિત કરેલી છે?
No comments:
Post a Comment